Dwarkaમાં બે શખ્સોએ ગૌવંશને હથિયારો વડે મારી, અને તેના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધાના જઘન્ય બનાવમાં દ્વારકા તથા જામનગરના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કૃષ્ણનગરીમાં બનેલા અતિ ક્રૂરતાભર્યા બનાવમાં એરોપીઓ સામે લોકોએ ફીટકાર વરસાવ્યો

આ કરુણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ Dwarkaમાં હાથી ગેટની સામેના વિસ્તારમાં રહેતા પરસોતમ ઉર્ફે મનસુખ ઉર્ફે ટુકડો વેલજીભાઈ પરમાર અને જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા દીપક કરસન સોલંકી | નામના બે શખ્સો દ્વારા ગૌવંશનું કોઈપણ તીક્ષ્ણ હથિયાર કે શ વડે મોતની નીપજાવી અને તેના ટુકડા તથા પગના ટુકડા જાહેર માર્ગ પર ફેંકી દીધા હતા.

પોલીસ હેડ કોન્સ્ટેબલ ખુદ ફરિયાદી બન્યા

આ સમગ્ર પ્રકરણ અંગે Dwarkaના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ઉપરોક્ત બંને શખ્સો સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં રોશની લાગણી ફેલાવી છે.