Dwarka: દેશના વરિષ્ઠ ઉદ્યોગપતિ તથા ટાટા જૂથના મોભી પદ્મવિભૂષણ રતન ટાટાનું નિધન થતા મીઠાપુર ટાટા ટાઉનશીપે સ્વયંભૂ બંધ પાળી તેઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

Dwarka: ટાઉનશીપમાં થતી ૮ ગરબીઓ પણ બંધ રહી, બંગાળી એસો. આયોજિત દુર્ગાપૂજા મહોત્સવ રદ

દ્વારકાના મીઠાપુર ખાતે ટાટા ટાઉનશીપ આવેલી છે. ઉદ્યૌગપતિ રતન ટાટાનું નિધન થતા મીઠાપુરે આજે સ્વયંભૂ બંધ પાળી શ્રધ્ધાંજલિ અર્પી હતી. મીઠાપુરમાં બન્ને બજાર આખો દિવસ સજ્જડ બંધ રહી હતી. જયારે મીઠાપુરમાં થતી ૮થી ૧૦ગરબીઓ પણ તેમના માનમાં આજે બંધ રહી હતી. જયારે મીઠાપુરમાં બંગાળી એસો. દ્વારા આજે દુર્ગા પૂજા મહોત્સવ પણ બંધ રખાયો હતો.