Vadodara જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઇવે ૪૮ પર દેથાણ ગામની સીમમાં આવેલ એક જૈન દેરાસરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી મંદિરમાં સ્થાપન કરેલ નવ જેટલી ભગવાનની મૂ તઓમાંથી સ્ફટિકની ઉપર સોનાની બોર્ડરવાળી ચક્ષુ અને ડાયમંડથી બનાવેલ તિલક તેમજ દાનપેટીમાંથી રોકડા રૂપિયા મળી કુલ રૂા.૪.૮૫ લાખની ચોરી થતાં જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

Vadodara: સ્ફટિકની ઉપર સોનાની બોર્ડરવાળા ચક્ષુ, ડાયમંડથી બનાવેલ તિલક તેમજ દાનપેટી તોડી રોકડ મળી કુલ રૂા.૪.૮૫ લાખની ચોરી

Vadodaraના માંજલપુર વિસ્તારમાં આવેલ આદિનાથ ડુપ્લેક્સમાં રહેતા પરિમલ ચિનુભાઈ શાહે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઓએનજીસીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરું છું અને દેથાણ ગામની સીમમાં શ્રી શત્રુજય યુગાદીદેવ દિવ્ય વસંતધામ જૈન દેરાસરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આજે સવારે દેરાસરના મેનેજર અજયભાઈએ મને ફોન કરીને જણાવેલ કે આપણા જૈન દેરાસરમાં રાત્રે ચોરી થઈ છે. મુખ્ય દરવાજાનું તાળું તોડી દેરાસરમાં ભગવાનની મૂર્તિઓના ચક્ષુ તથા કપાળ ઉપરના ટીકાઓ અને દાનપેટીમાંથી રોકડની ચોરી થઈ છે. તો તમે તાત્કાલિક દેરાસર આવી જાવ.

બાદમાં મેં અન્ય દ્રષ્ટિઓ ગૌતમ હસમુખભાઈ શાહ અને પંકજ રમેશચંદ્ર શાહને ચોરીની વાત કરી અમે ત્રણે દેથાણ ગામે મંદિરે ગયા હતા ત્યારે મંદિરનો મુખ્ય દરવાજો તૂટેલો હતો અને ભગવાનની મૂર્તિઓ શ્રી આદિશ્વર મૂળનાયક, મુનીસુવ્રત, લોઢન પાર્શ્વનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, સીમંધર સ્વામી ભગવાન, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શાંતિનાથજી ભગવાન, પુંડરિક સ્વામી ભગવાન અને ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ ઉપર સોનાની બોર્ડરવાળી ચક્ષુઓ તેમજ સોનાની બોર્ડરવાળી ડાયમંડથી બનાવેલ તિલક મળી કુલ રૂા.૪.૨૦ લાખના ભગવાનને ચડાવેલા દાગીના અને દાનપેટી તોડી ૬૫ હજાર રૂપિયા મળી કુલ રૂા.૪.૨૦ લાખની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.