ઈઝરાયેલના તેલ-અવીવ શહેરમાં દરરોજ યુદ્ધવિરામને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધ કરી રહેલા બંધકોના પરિવારોનું કહેવું છે કે લાંબા સમય સુધી યુદ્ધ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા બંધકોના જીવ લેશે. સોમવારે હમાસની લશ્કરી પાંખના વડા અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી રફાહમાં ચાલુ બોમ્બમારો પછી તેણે ચાર ઇઝરાયલી બંધકોની સુરક્ષા માટે જવાબદાર જૂથ સાથેનો સંપર્ક ગુમાવ્યો છે.

તેમની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે, “છેલ્લા 10 દિવસમાં ભારે ઇઝરાયેલી બોમ્બમારોને કારણે અમે હર્ષ ગોલ્ડબર્ગ-પોલીન સહિત ચાર ઇઝરાયલી અટકાયતીઓની સુરક્ષા કરતા અમારા લડવૈયાઓના જૂથ સાથે સંપર્ક ગુમાવી દીધો છે.

હર્ષ ગોલ્ડબર્ગ-પોલીન કોણ છે?
ગયા મહિને અલ-કાસમ બ્રિગેડ્સે ગાઝામાં ઇઝરાયેલી અટકાયતી હિર્શ ગોલ્ડબર્ગ-પોલીનનો એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. જેમાં તે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને મંત્રીઓને અટકાયતીઓની મુક્તિની ખાતરી કરવા અને તેમના પદ પરથી રાજીનામું આપવા માટે બોલાવતો જોવા મળ્યો હતો.

ઑક્ટોબર 7, 2023 ના રોજ કેદી લેવામાં આવેલા લગભગ 250 નાગરિકોમાં ઇઝરાયેલી હર્ષ ગોલ્ડબર્ગ-પોલીનનો સમાવેશ થાય છે. 220 દિવસથી વધુ સમય સુધી કેદમાં રહ્યા બાદ તેણે ગયા મહિને એક વીડિયો સંદેશમાં ઈઝરાયલ સરકારને મહત્વપૂર્ણ સંદેશો મોકલ્યો હતો. જેમાં ગાઝા યુદ્ધ રોકવાની માંગ કરવામાં આવી હતી.

જેનો ડર હતો…તે જ થયું , રફાહમાં બોમ્બમારા પછી 4 ઇઝરાયલી બંધકો ગુમઑક્ટોબર 7ના રોજ હમાસે ઑપરેશન અલ-અક્સા ફ્લડ શરૂ કર્યા પછી હમાસના લડવૈયાઓએ લગભગ 250 ઇઝરાયેલીઓને બંધક બનાવ્યા. આ ઓપરેશનમાં લગભગ 1200 નાગરિકો માર્યા ગયા હતા. ફેબ્રુઆરીમાં થયેલા સંરક્ષણ કરાર હેઠળ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં 112 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. હમાસનું કહેવું છે કે સંપૂર્ણ યુદ્ધવિરામ ન સ્વીકારવાની અને ગાઝામાંથી તેના સૈન્યને સંપૂર્ણ રીતે પાછી ખેંચવા માટે સંમત ન થવાની ઇઝરાયેલની જીદને કારણે યુદ્ધ અટક્યું નથી.