Washington Shooting : અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બે ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે. વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ભારે ગોળીબાર કરાયો છે. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.
ધરપકડ દરમિયાન તેણે પેલેસ્ટાઇન માટે સૂત્રોચ્ચાર કર્યા. આ બાબતે ઇઝરાયલી દૂતાવાસે પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યાનુસાર ગોળીબારમાં દૂતાવાસના બે અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે.

સમાચાર એજન્સી BNO અનુસાર, વોશિંગ્ટન ડીસીમાં મોટા પાયે ગોળીબાર થયો છે. આ ઘટના રાત્રે લગભગ 9.15 વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હુમલામાં એક પુરુષ અને એક મહિલાના મોત થયાના અહેવાલ છે. હુમલામાં માર્યા ગયેલા બંને લોકો ઇઝરાયલી રાજદ્વારી હતા.
ઈઝરાયલના રાજદૂતે X પર પોસ્ટ કરી
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું, “આ જીવલેણ ગોળીબારમાં ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓ ઘાયલ થયા હતા.” ડેની ડેનને તેને “યહૂદી વિરોધી આતંકવાદનું ઘૃણાસ્પદ કૃત્ય” ગણાવ્યું. આ મામલે એટર્ની જનરલ પામેલા બોન્ડીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર એક પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
ઇઝરાયલી દૂતાવાસે વહીવટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
“વોશિંગ્ટનમાં કેપિટોલ યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી,” વોશિંગ્ટનમાં ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તા તાલ નઇમ કોહેને X પર લખ્યું. અમને સ્થાનિક અને સંઘીય સ્તરે કાયદા અમલીકરણ અધિકારીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયલના પ્રતિનિધિઓ અને યહૂદી સમુદાયોનું રક્ષણ કરશે.”
આ પણ વાંચો..
- વાપીના લોકોને શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું, તો શું હેરાન થવા ભાજપને મત આપે?: Isudan Gadhvi
- આણંદ જિલ્લાના તારાપુરના રિંઝામાં 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે: CM Bhupendra Patel
- કન્સ્ટ્રક્શનમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નો સૂર અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકાવીએ – CM Bhupendra Patel
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- PM Modi અને પ્રિયંકા ગાંધી હસતા અને વાતો કરતા જોવા મળ્યા, જાણો આ મુલાકાત ક્યાં થઈ





