UAEમાં બે ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ બંને કેરળના રહેવાસી છે અને તેમના નામ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી.વી. હોવાનું સામે આવ્યુ છે. આ બંનેને અલગ-અલગ હત્યાના કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. UAEની સર્વોચ્ચ અદાલતે આ સજાને મંજૂરી આપી દીધી છે.

વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પરીસ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું છે. ભારતીય દૂતાવાસ દ્વારા આ બંનેને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાએ UAEમાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. આ બંનેને અલગ-અલગ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
મોહમ્મદ રિનાશ પર આરોપ છે કે તેણે 2015માં એક પાકિસ્તાની નાગરિકની હત્યા કરી હતી. મુરલીધર પી.વી. પર આરોપ છે કે તેણે 2017માં એક ભારતીય નાગરિકની હત્યા કરી હતી. ભારત સરકારે આ બંનેના પરિવારોને મદદ કરવાની ખાતરી આપી છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશની શહેઝાદી ખાનને અબુધાબીમાં ચાર મહિનાના બાળકની હત્યાના આરોપસર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા અને તેમની પુત્રીને બચાવવાની માગ કરતી અરજી કરી છે. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે શહેઝાદીને તેના એમ્પ્લોયરના ચાર મહિનાના બાળકની કથિત હત્યા સંબંધિત કેસમાં સ્થાનિક અદાલતો સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને તેને ગુનો કબૂલાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે 31 જુલાઈ, 2023ના રોજ મૃત્યુદંડ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…
- તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના એક ગામને ‘પ્રાકૃતિક ગામ’ બનાવવા રાજ્યપાલ Acharya Devvratનું આહવાન
- Horoscope: 28 ફેબ્રુઆરીનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો આજનું રાશિફળ
- T20: જેક્સ અને રેહાન ઇંગ્લેન્ડને જીત તરફ દોરી ગયા, ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો, શું પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં રમશે?
- shashi tharoor: હાઈકમાન્ડ સાથે સમાધાન પછી વલણમાં ફેરફાર કેમ?: કેરળ વિરુદ્ધ કેરળમ વિવાદ ચાલુ, બ્રિટાસે થરૂર પર વળતો પ્રહાર કર્યો
- IPLની 19મી આવૃત્તિનો ઉત્સાહ ક્યારે શરૂ થશે? ફાઇનલની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.





