UAEમાં બે ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ બંને કેરળના રહેવાસી છે અને તેમના નામ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી.વી. હોવાનું સામે આવ્યુ છે. આ બંનેને અલગ-અલગ હત્યાના કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. UAEની સર્વોચ્ચ અદાલતે આ સજાને મંજૂરી આપી દીધી છે.

વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પરીસ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું છે. ભારતીય દૂતાવાસ દ્વારા આ બંનેને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાએ UAEમાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. આ બંનેને અલગ-અલગ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
મોહમ્મદ રિનાશ પર આરોપ છે કે તેણે 2015માં એક પાકિસ્તાની નાગરિકની હત્યા કરી હતી. મુરલીધર પી.વી. પર આરોપ છે કે તેણે 2017માં એક ભારતીય નાગરિકની હત્યા કરી હતી. ભારત સરકારે આ બંનેના પરિવારોને મદદ કરવાની ખાતરી આપી છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશની શહેઝાદી ખાનને અબુધાબીમાં ચાર મહિનાના બાળકની હત્યાના આરોપસર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા અને તેમની પુત્રીને બચાવવાની માગ કરતી અરજી કરી છે. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે શહેઝાદીને તેના એમ્પ્લોયરના ચાર મહિનાના બાળકની કથિત હત્યા સંબંધિત કેસમાં સ્થાનિક અદાલતો સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને તેને ગુનો કબૂલાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે 31 જુલાઈ, 2023ના રોજ મૃત્યુદંડ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…
- મગરને વહેલામાં વહેલી તકે પકડીને નર્મદાના ઊંડાણ વિસ્તારમાં છોડવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય સહાય ચૂકવવામાં આવે: Niranjan Vasava AAP
- તે બધાને એકલા છોડીને ચાલ્યો ગયો…મિત્રના મોત પર ભાવુક પોસ્ટ, 5 કલાક બાદ ‘Gujju Love Guru’નું પણ મોત
- Daman: પાણીની ટાંકી પર ચઢ્યો યુવાન; રેલિંગ સાથે લટકતો રહ્યો યુવાન, 3 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- Junagadh: રાત્રિનો સમય, વરસાદ અને… અચાનક રસ્તા પર 6 સિંહો આવી ગયા
- Navsari કોંગ્રેસનો મોંઘવારી વિરોધ, ત્રણ કલાકમાં 1,500 કિલો ખાંડ વેચાઈ




