UAEમાં બે ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ બંને કેરળના રહેવાસી છે અને તેમના નામ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી.વી. હોવાનું સામે આવ્યુ છે. આ બંનેને અલગ-અલગ હત્યાના કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. UAEની સર્વોચ્ચ અદાલતે આ સજાને મંજૂરી આપી દીધી છે.

વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પરીસ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું છે. ભારતીય દૂતાવાસ દ્વારા આ બંનેને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાએ UAEમાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. આ બંનેને અલગ-અલગ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
મોહમ્મદ રિનાશ પર આરોપ છે કે તેણે 2015માં એક પાકિસ્તાની નાગરિકની હત્યા કરી હતી. મુરલીધર પી.વી. પર આરોપ છે કે તેણે 2017માં એક ભારતીય નાગરિકની હત્યા કરી હતી. ભારત સરકારે આ બંનેના પરિવારોને મદદ કરવાની ખાતરી આપી છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશની શહેઝાદી ખાનને અબુધાબીમાં ચાર મહિનાના બાળકની હત્યાના આરોપસર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા અને તેમની પુત્રીને બચાવવાની માગ કરતી અરજી કરી છે. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે શહેઝાદીને તેના એમ્પ્લોયરના ચાર મહિનાના બાળકની કથિત હત્યા સંબંધિત કેસમાં સ્થાનિક અદાલતો સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને તેને ગુનો કબૂલાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે 31 જુલાઈ, 2023ના રોજ મૃત્યુદંડ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…
- શું Asim Munir તાલિબાન સાથે સંપૂર્ણ રીતે લડવાના મૂડમાં છે? તેમના નિવેદનથી ખળભળાટ મચી ગયો
- Bangladesh માં એક હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાના મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, “અમારી એકમાત્ર ઇચ્છા એ છે કે…”
- Maharashtra માં ભાજપની જંગી જીત પર પીએમ મોદીનું પહેલું નિવેદન, કહ્યું, “અમે રાજ્યભરના દરેક નાગરિક માટે પ્રતિબદ્ધ છીએ…”
- બ્રાઝિલના રાષ્ટ્રપતિએ Venezuela પર હુમલો કરવાની યોજના બનાવી રહેલા અમેરિકાને કડક ચેતવણી આપી, લુલાએ કહ્યું કે “મોટી આપત્તિ” આવશે
- આદિત્ય ધર ‘Dhurandhar’ ફિલ્મના આઈટમ સોંગમાં તમન્ના ભાટિયાને કેમ ન ઇચ્છતા હતા? કોરિયોગ્રાફરે કારણ જણાવ્યું





