UAEમાં બે ભારતીયોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ બંને કેરળના રહેવાસી છે અને તેમના નામ મોહમ્મદ રિનાશ અને મુરલીધર પી.વી. હોવાનું સામે આવ્યુ છે. આ બંનેને અલગ-અલગ હત્યાના કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. UAEની સર્વોચ્ચ અદાલતે આ સજાને મંજૂરી આપી દીધી છે.

વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને પરીસ્થિતિ પર નજર હોવાનું જણાવ્યું છે. ભારતીય દૂતાવાસ દ્વારા આ બંનેને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાએ UAEમાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. આ બંનેને અલગ-અલગ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
મોહમ્મદ રિનાશ પર આરોપ છે કે તેણે 2015માં એક પાકિસ્તાની નાગરિકની હત્યા કરી હતી. મુરલીધર પી.વી. પર આરોપ છે કે તેણે 2017માં એક ભારતીય નાગરિકની હત્યા કરી હતી. ભારત સરકારે આ બંનેના પરિવારોને મદદ કરવાની ખાતરી આપી છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશની શહેઝાદી ખાનને અબુધાબીમાં ચાર મહિનાના બાળકની હત્યાના આરોપસર ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા અને તેમની પુત્રીને બચાવવાની માગ કરતી અરજી કરી છે. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે શહેઝાદીને તેના એમ્પ્લોયરના ચાર મહિનાના બાળકની કથિત હત્યા સંબંધિત કેસમાં સ્થાનિક અદાલતો સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને તેને ગુનો કબૂલાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેના કારણે 31 જુલાઈ, 2023ના રોજ મૃત્યુદંડ લાદવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…
- Communist party: ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી આવતીકાલે બેઇજિંગમાં એક મહત્વપૂર્ણ બેઠક, આગામી પાંચ વર્ષ માટે તેની યોજનાઓ શું છે?
- Parisમાં નટવરલાલનું અદ્ભુત કૃત્ય! તેણે લુવર મ્યુઝિયમમાંથી માત્ર સાત મિનિટમાં નવ શાહી ઝવેરાત કેવી રીતે ચોર્યા?
- Traffic: AUDA દ્વારા પુલનું સમારકામ શરૂ થતાં SP રિંગ રોડ પર ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત
- Nepalના ભૂતપૂર્વ પીએમ ઓલીએ કહ્યું, “કારણ વગર મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, સરકાર ગેરબંધારણીય છે.”
- Pakistan: લાહોર હાઈકોર્ટમાં શાહબાઝ અને મરિયમ નવાઝ વિરુદ્ધ અરજી દાખલ, ઈમરાન ખાનની પાર્ટીએ કેસ કેમ દાખલ કર્યો છે?