PM Modi: શનિવારે સવારે કેરળ પહોંચ્યા હતા. વડા પ્રધાન વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિતોને પણ મળશે. પીડિતો જ્યાં રહે છે તે રાહત કેમ્પની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ પીએમ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે સીએમ પિનરાઈ વિજયન પણ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કેરળ પહોંચ્યા હતા. વડા પ્રધાન વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિતોને પણ મળશે. પીડિતો જ્યાં રોકાયા છે તે રાહત કેમ્પની વડાપ્રધાન મોદી મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ પીએમ હોસ્પિટલની મુલાકાત પણ લેશે.

કેરળ પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે સીએમ પિનરાઈ વિજયન પણ હાજર હતા. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું.

ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા છે
30 જુલાઈના રોજ, ભારે વરસાદને પગલે વાયનાડના ચુરામાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા હતા.