Pm Modi: આસામ વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે યોજાવાની છે. ચૂંટણીની ઔપચારિક જાહેરાતના થોડા અઠવાડિયા પહેલા જ રાજ્યને આજે વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ મળી હતી. ત્યારે વડાપ્રધાન મોદી પણ મુલાકાત દરમિયાન લોકોને મળ્યા હતા અને સંબોધિત કર્યા હતા. તેમણે ભારતમાં કેટલાક વિસ્તારોમાં વધી રહેલ આતંકવાદી પ્રવૃતિઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
આ આરોપ લગાવ્યા બાદ તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના નેતાઓ ઘુસણખોરોને બચાવવામાં રોકાયેલા છે. ભાજપના પક્ષમાં જનાદેશમાં વિશ્વાસ વ્યક્ત કરતા, તેમણે કહ્યું કે લોકો આગામી ચૂંટણીઓમાં ભારે બહુમતી સાથે ભાજપ સરકાર પસંદ કરશે. કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા, પીએમ મોદીએ કહ્યું કે પાર્ટીએ હંમેશા પૂર્વોત્તરની અવગણના કરી છે અને ભંડોળ ફાળવવાનું ટાળ્યું છે. તેમણે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો પર પ્રકાશ પાડ્યો, જેમાં આજે ઉદ્ઘાટન કરાયેલ ભાસ્કર સેતુ સહિત અન્ય ઘણા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો અને વિકાસ માટે વચન આપ્યું હતું.





