ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી છે. તેમને દિલ્હીની Apollo હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમની હાલત સ્થિર છે. 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણી હાલમાં ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ છે. લાલકૃષ્ણ અડવાણીને આજે સવારે ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગયા મહિને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું
અડવાણી (96)ને આજે અહીંની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈના પ્રથમ સપ્તાહમાં, અડવાણીને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા બાદ (હોસ્પિટલમાંથી) રજા આપવામાં આવી હતી. તેમને ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

આ પહેલા અડવાણીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં રાતોરાત રાખવામાં આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.