ISRO એ ભારત-યુએસ સંયુક્ત અવકાશ મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ફ્લાઇટ ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મુખ્ય પાઇલટ તરીકે પસંદ કર્યા છે. ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ ગુરુવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ISRO-NASA સંયુક્ત મિશનની જાહેરાત જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની સત્તાવાર મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.

ISRO-NASA સંયુક્ત મિશન
ISRO એ વધુમાં માહિતી આપી હતી કે ISRO-NASAના સંયુક્ત પ્રયાસોને આગળ વધારવામાં, તેના હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC) એ આગામી ISS Axiom-4 મિશન માટે મેસર્સ એક્સિઓમ સ્પેસ ઇન્ક., યુએસએ સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટ (SFA)માં પ્રવેશ કર્યો છે.

બંને અવકાશયાત્રીઓ ટૂંક સમયમાં તાલીમ શરૂ કરશે
ISROના જણાવ્યા અનુસાર, શુભાંશુ શુક્લા અને પ્રશાંત બાલકૃષ્ણન નાયરને મિશન માટે નેશનલ મિશન અસાઇનમેન્ટ બોર્ડ દ્વારા લીડ અને બેકઅપ મિશન પાઇલટ તરીકે ભલામણ કરવામાં આવી છે. મલ્ટિલેટરલ ક્રૂ ઓપરેશન્સ પેનલ (MCOP) દ્વારા સોંપાયેલ ક્રૂ સભ્યોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા માટે મંજૂરી આપવામાં આવશે. ઈસરોએ જણાવ્યું હતું કે ભલામણ કરાયેલા બે અવકાશયાત્રીઓ ઓગસ્ટ 2024ના પ્રથમ સપ્તાહથી મિશન માટે તેમની તાલીમ શરૂ કરશે.

કોણ છે કેપ્ટન શુભાંશુ શુક્લા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન શુભાંશુ શુક્લા ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી છે. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ થયો હતો અને હાલમાં જ તેમને ગ્રુપ કેપ્ટનના પદ પર બઢતી આપવામાં આવી છે. અગાઉ તેઓ વિંગ કમાન્ડર તરીકે તૈનાત હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને 17 જૂન 2006ના રોજ ભારતીય વાયુસેનાની લડાયક શાખામાં કમિશન થયા હતા.