Bangladesh: બાંગ્લાદેશમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં સરકાર વિરુદ્ધ થયેલા આંદોલનમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક હજારથી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોમાં 400થી વધુ એવા લોકો છે જેઓ પોલીસ ગોળીબારને કારણે એક અથવા બંને આંખોથી અંધ બની ગયા છે. આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ડઝનબંધ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. કેટલાક હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બાંગ્લાદેશમાં જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં સરકાર વિરુદ્ધ થયેલા આંદોલનમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા અને એક હજારથી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોમાં 400 થી વધુ એવા લોકો છે જેઓ પોલીસ ગોળીબારને કારણે એક અથવા બંને આંખોથી અંધ બની ગયા છે. આ માહિતી વચગાળાની સરકારમાં આરોગ્ય વિભાગના પ્રભારી મંત્રી નૂરજહાં બેગમે અનેક હોસ્પિટલોની મુલાકાત લીધા બાદ આપી હતી. તેમણે કહ્યું કે આંદોલન દરમિયાન થયેલી હિંસામાં ડઝનબંધ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં આંદોલન દરમિયાન 650 લોકો માર્યા ગયા હતા.

ભૂતપૂર્વ સ્પીકર અને ભૂતપૂર્વ વાણિજ્ય પ્રધાનની ધરપકડ
બાંગ્લાદેશમાં, ગુરુવારે, ભૂતપૂર્વ સંસદના સ્પીકર શિરીન શર્મિન ચૌધરી અને ભૂતપૂર્વ વાણિજ્ય પ્રધાન ટીપુ મુનશીની જ્વેલરી વેચનારની હત્યામાં ધરપકડ કરવામાં આવી હતી. 74 વર્ષીય મુનશીની બુધવારે મોડી રાત્રે તેમના ઢાકાના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન, ઢાકા કોર્ટે શેખ હસીનાની સરકારમાં મંત્રી રહેલા 14 નેતાઓ અને સાંસદોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ લોકો સામે નોંધાયેલા અપરાધિક અને ભ્રષ્ટાચારના કેસોને કારણે તેમના પર દેશ છોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અન્ય એક નિર્ણયમાં વચગાળાની સરકારે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવેલી વિશેષ સુરક્ષાને સમાપ્ત કરી દીધી છે.

પન્નાની લાશ 26 ઓગસ્ટના રોજ મળી આવી હતી
જ્યારે વચગાળાની સરકારની કાર્યવાહીથી બચવા બાંગ્લાદેશ ભાગી ગયેલા અવામી લીગની વિદ્યાર્થી પાંખ છત્રા લીગના નેતા ઈશાક અલી ખાન પન્નાની વિકૃત લાશ ભારતના મેઘાલય રાજ્યમાં બાંગ્લાદેશને અડીને આવેલા વિસ્તારમાંથી મળી આવી છે. એસપી ગિરી પ્રસાદના જણાવ્યા અનુસાર, મૃતદેહ પાસે મળેલા પાસપોર્ટ પરથી પન્નાની ઓળખ થઈ હતી. પન્નાની લાશ 26 ઓગસ્ટના રોજ મળી આવી હતી.