Manipur: મૈતેઇ સંગઠન અરંબાઇ ટેંગગોલના એક નેતા અને કેટલાક અન્ય સભ્યોની ધરપકડના અહેવાલો પછી મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ઘણા લોકોએ રસ્તાઓ વચ્ચે ટાયર અને જૂના ફર્નિચર સળગાવ્યા, એરપોર્ટના પ્રવેશદ્વારનો ઘેરાવ કર્યો અને પ્રદર્શનકારીઓ રાતભર રસ્તા પર સૂઈ ગયા.
મણિપુરમાં પરિસ્થિતિ ફરી વણસી છે. અહીંના અનેક ખીણ જિલ્લાઓમાં નવી હિંસા બાદ તણાવ વધ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. મેતેઇ સંગઠન અરંબાઇ ટેંગગોલના એક નેતા અને કેટલાક અન્ય સભ્યોની ધરપકડના અહેવાલો બાદ ગયા શનિવારે રાત્રે ઉત્તરપૂર્વીય રાજ્યમાં આ વિસ્તારમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી.
પ્રદર્શનકારીઓએ હોબાળો મચાવ્યો હતો. આ લોકોએ રસ્તાઓ વચ્ચે ટાયર અને જૂના ફર્નિચર સળગાવ્યા, એરપોર્ટના પ્રવેશદ્વારનો ઘેરાવ કર્યો અને તેમના નેતાની મુક્તિની માંગણી કરતા સુરક્ષા દળો સાથે અથડામણ કરી. રાજધાની ઇમ્ફાલમાં કેટલાક લોકોએ આત્મદાહનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે આજે રવિવારે પણ પરિસ્થિતિ તંગ રહી હતી.