Kolkata case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષે SCમાં અરજી દાખલ કરી હતી. સંદીપ ઘોષે અરજીમાં કહ્યું છે કે કલકત્તા હાઈકોર્ટે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપતી વખતે તેમની વાત સાંભળી ન હતી. સંદીપ ઘોષે આ કેસમાં પોતાને પક્ષકાર બનાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ ઉપરાંત સંદીપ ઘોષે ભ્રષ્ટાચારના આરોપોને હોસ્પિટલ પરિસરમાં બનેલી બળાત્કારની ઘટના સાથે જોડતી હાઈકોર્ટની ટિપ્પણીને હટાવવાની પણ માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ સંદીપ ઘોષની અરજી પર 6 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.