BCCIએ બુધવારે Duleep Trophy 2024-2025ના પ્રથમ રાઉન્ડ માટે ટીમોની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટ માટે શુભમન ગિલ, અભિમન્યુ ઇશ્વરન, રૂતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. એવી અટકળો હતી કે વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત કેટલાક સિનિયર ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે. જોકે, ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહના નામ જોવા મળ્યા ન હતા. જ્યારે BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે કે શા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ઘરેલુ ટૂર્નામેન્ટ નથી રમી રહ્યા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે હવે કહ્યું છે કે અમારી પ્રાથમિકતા આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફિટ રાખવાની છે. શાહે કહ્યું, તેના સિવાય, બાકીના બધા રમી રહ્યા છે. તમારે તેની પ્રશંસા કરવી જોઈએ. નોંધનીય છે કે ટૂર્નામેન્ટમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐયર બુચી બાબુ રમી રહ્યા છે.

BCCI સેક્રેટરીએ કહ્યું કે, આપણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને દુલીપ ટ્રોફીમાં રમવાનો આગ્રહ ન કરવો જોઈએ. તેમને ઈજા થવાનું જોખમ રહેશે. જો તમે નોંધ્યું હોય તો, દરેક આંતરરાષ્ટ્રીય ખેલાડી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટ રમતા નથી. અમારે ખેલાડીઓ સાથે સન્માન સાથે વ્યવહાર કરવો પડશે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશની ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચ રમાશે. રિષભ પંત દુલીપ ટ્રોફી રમી રહ્યો છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં તેને તક મળે તેવી પૂરી સંભાવના છે. પંત લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. 2022ના અંતમાં રોડ અકસ્માતનો ભોગ બન્યા બાદ તેણે કોઈ ટેસ્ટ રમી નથી.