BLA : બલુચિસ્તાનમાં આજે શનિવારે બીજા દિવસે પણ આ હુમલો ચાલુ છે. BLAએ એક પાકિસ્તાની અધિકારીની હત્યા કરી છે. શુક્રવારે સુરાબ શહેર કબજે કરતી વખતે, BLA લડવૈયાઓએ એક પોલીસ સ્ટેશનના SHOની પણ હત્યા કરવાનો દાવો કર્યો હતો.

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર કબજે કરવાની સાથે, બલુચિસ્તાન સેનાએ 1 પાકિસ્તાની અધિકારીની હત્યા કરી દીધી. આનાથી પીએમ શાહબાઝ શરીફ પણ ગુસ્સે થયા છે. શાહબાઝે આ હુમલાની સખત નિંદા કરી છે. તમને જણાવી દઈએ કે બલુચ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વરિષ્ઠ સરકારી અધિકારીનું મોત થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ના ઉગ્રવાદીઓએ શુક્રવારે મોડી રાત્રે ખુઝદાર જિલ્લાના સોરાબ શહેર પર હુમલો કર્યો. તેઓએ થોડા સમય માટે શહેર પર કબજો કર્યો, ઘણી સરકારી મિલકતોમાં આગ લગાવી અને એક બેંક લૂંટી લીધી.

બેંકો લૂંટી લેવામાં આવી અને કબજે કરવામાં આવી
બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે જણાવ્યું હતું કે હુમલાખોરોએ સરકારી કચેરીઓમાં તોડફોડ કરી, બેંકમાંથી રોકડ લૂંટી લીધી અને ઘણા સરકારી અધિકારીઓના રહેઠાણો પણ બાળી નાખ્યા. હુમલામાં એડિશનલ ડેપ્યુટી કમિશનર (રેવન્યુ) હિદાયત બુલેદી બલોચનું મોત થયું હતું. તેઓ હુમલા દરમિયાન અડગ રહ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે હિદાયત બુલેદીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમણે “ઉગ્રવાદીઓનો સામનો કરતી વખતે અસાધારણ હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠા” દર્શાવી હતી.

બલુચિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શું વિવાદ છે?
બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે (ક્ષેત્ર પ્રમાણે), જે દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. તે અફઘાનિસ્તાન, ઈરાન અને અરબી સમુદ્રની સરહદ ધરાવે છે. બલુચિસ્તાન કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. ખાસ કરીને ત્યાં ગેસ, તાંબુ, સોનું, કોલસો અને યુરેનિયમના ભંડાર છે. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે બલુચિસ્તાન એક અર્ધ-સ્વતંત્ર રાજ્ય (કલાતનો ખાન) હતું. બલુચિસ્તાન નેતાઓના મતે, 1948માં પાકિસ્તાને બળજબરીથી બલુચિસ્તાન પર કબજો કર્યો હતો. ત્યારથી, બલુચિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ અને બળવો શરૂ થયો.