ઓડિશાની પુરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી પ્રચાર માટે પાર્ટી તરફથી પૂરતા ભંડોળના અભાવને કારણે તેમની ટિકિટ પરત કરી દીધી છે. તેણીએ કહ્યું, ‘મેં ચૂંટણી લડવા માટે જાહેર ભંડોળનો આશરો લીધો… મારા પ્રચાર ખર્ચને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હું નાણાકીય રીતે સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં રહી અને અસરકારક ચૂંટણી પ્રચાર જાળવી શકી નહીં.’

સુચરિતા મોહંતીએ કહ્યું, ‘મને પાર્ટી તરફથી ફંડ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વિધાનસભા મતવિસ્તારોમાં નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. ભાજપ અને બીજેડી પૈસાના પહાડ પર બેઠા છે. આ મારા માટે મુશ્કેલ હતું. દરેક જગ્યાએ સંપત્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે. હું આવી સ્પર્ધા કરવા મૅણ્ગટી નથી. હું લોકોલક્ષી અભિયાન ઇચ્છતિ હતી પરંતુ ભંડોળના અભાવે તે શક્ય બન્યું ન હતું. આ માટે કોંગ્રેસ પણ જવાબદાર નથી. ખર્ચ પર ઘણા નિયંત્રણો છે. પુરીમાં મને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. તેઓ પરિવર્તન ઈચ્છે છે.

અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે                                                                                

કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલને લખેલા પત્રમાં સુચરિતાએ કહ્યું, ‘પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. પાર્ટીના ઓડિશા પ્રભારી ડૉ. અજોય કુમારજીએ મને સ્પષ્ટપણે તેમનો બચાવ કરવા કહ્યું છે. હું એક પગારદાર વ્યાવસાયિક પત્રકાર હતી જેણે 10 વર્ષ પહેલાં ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. પુરીમાં મારા પ્રચારમાં મેં મારું સર્વસ્વ આપ્યું. મેં મારા ચૂંટણી અભિયાનને ભંડોળ પૂરું પાડવા માટે જાહેર દાન અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હજુ સુધી આમાં કોઈ ખાસ સફળતા મળી નથી. મેં ખર્ચ ઓછો કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

સુચરિતાએ 2014માં પુરીથી ચૂંટણી પણ લડી હતી

તમને જણાવી દઈએ કે ભાજપે પુરીથી સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે અરૂપ પટનાયક બીજેડી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે સંબિત પાત્રાને ટિકિટ આપી હતી. ત્યારબાદ તેઓ બીજેડીના પિનાકી મિશ્રા સામે માત્ર 11,714 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગયા. મિશ્રાને 538,321 અને પાત્રાને 5,26,607 વોટ મળ્યા. કોંગ્રેસના સત્ય પ્રકાશ નાયક માત્ર 44,734 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. 2014ની ચૂંટણીમાં બીજુ જનતા દળના ઉમેદવાર પિનાકી મિશ્રાએ અહીંથી કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીને હરાવ્યા હતા. ત્યારબાદ સુચરિતાએ 2,59,800 લાખ મત મેળવ્યા હતા. બીજેપીના અશોક સાહુને 2,15,763 વોટ મળ્યા.