ચાર ધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડના કારણે સરકારે મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે હવે 31 મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ વધુ એક આદેશ જારી કર્યો છે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ પ્રવાસન સચિવ, ગઢવાલ ડિવિઝનના કમિશનર, એસપી અને જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો છે કે, હવેથી મંદિરોથી 50 મીટરની ત્રિજ્યામાં વીડિયોગ્રાફી, સોશિયલ મીડિયા રીલ્સ વગેરે ન કરવામાં આવે. આનાથી શ્રદ્ધા માટે તીર્થયાત્રા પર આવતા લોકોને મુશ્કેલી થાય છે અને તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા હોવાથી કેટલાક લોકો મંદિર પરિસરમાં રીલ બનાવવા કે વિડીયોગ્રાફી વગેરે કરીને બાકીના યાત્રિકો માટે મુશ્કેલી સર્જી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્ય સચિવે એમ પણ કહ્યું છે કે, કેટલાક લોકો રીલ્સ દ્વારા ભ્રમ ફેલાવી રહ્યા છે. જ્યારે ભ્રામક માહિતી સાથે રીલ બનાવવી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી એ ગુનો છે. જો તમે આસ્થાના પ્રભાવ હેઠળ યાત્રા પર જઈ રહ્યા હોવ તો મંદિરો પાસે આવી રીલ બનાવવી ખોટું છે. આ પણ દર્શાવે છે કે, તમે વિશ્વાસ માટે નથી આવી રહ્યા. આ ઉપરાંત તમે તે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છો જેઓ તેમની આસ્થા માટે અહીં આવી રહ્યા છે. હવેથી આવી ગેરમાર્ગે દોરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.ચારધામ યાત્રામાં ભક્તોની ભારે ભીડને જોતા VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. જેથી તમામ ભક્તો સરળતાથી ચારેય ધામોના દર્શન કરી શકે.