BCCIની મેડિકલ ટીમે વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહને લોર્ડ્સમાં રમાનારી ભારત-ઇંગ્લેન્ડની છેલ્લી ટેસ્ટ મેચમાં આરામ આપવાનો નિર્ણય લીધો છે.

જસપ્રીત બુમરાહ ટીમમાં ન હોવાથી લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ૧૧માં કોને સ્થાન મળશે તે નામની સતત ચર્ચા થઈ રહી છે. કાલથી અંતિમ ટેસ્ટ મેચ શરુ થશે.

ઝડપી બોલર આકાશ દીપ પ્લેઇંગ ૧૧માં સ્થાન મેળવી શકે છે. તેણે જંઘામૂળની ઇજાને કારણે ચોથી ટેસ્ટ ગુમાવી હતી. 

પરંતુ બુમરાહની ગેરહાજરીમાં તેણે ટીમમાં સ્થાન મળી શકે છે.

બુમરાહના સંભવિત વિકલ્પ તરીકે અર્શદીપ સિંહનું નામ પણ ચર્ચાય છે. જોકે, ટેસ્ટમાં હજી સુધી તેણે ડેબ્યૂ કર્યું નથી. પણ બુમરાહની ગેરહાજરી અર્શદીપ માટે તક બની શકે છે.