આદુ માત્ર રસોડાનો મસાલો જ નહીં, પરંતુ ઔષધીય ગુણો અને પોષક તત્વોથી ભરપૂર એક 'વરદાન' છે.

તેમાં રહેલા વિટામિન C, ઝિંક, આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ શરીરને અનેક બીમારીઓથી બચાવે છે.  

લોકો મોટાભાગે આદુવાળી ચા પીએ છે, પરંતુ સવારે ઉકાળેલું આદુનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

આદુમાં રહેલું 'જિંજરોલ' (Gingerol) નામનું સક્રિય તત્વ પાચનતંત્રને મજબૂત કરી ગેસ અને અપચાની સમસ્યા દૂર કરે છે.

વજન ઘટાડવા (Weight Loss) માંગતા લોકો માટે આદુનું પાણી બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે, જે મેટાબોલિઝમ વધારી ચરબી બાળે છે.