MS ધોની વિશે આવ્યા ખૂબ જ સારા સમાચાર, CSKના ચાહકો હારનું દુ:ખ ભૂલી ગયા!

IPL 2024ના પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ ગયેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે.

ટીમના માલિક કાશી વિશ્વનાથને ધોનીની નિવૃત્તિના પ્રશ્ન પર કંઈક એવું કહ્યું છે જેની તમામ ચાહકોને અપેક્ષા હતી. 

તેમના આ નિવેદન બાદ CSK ફેન્સ ચોક્કસથી ખુશ થશે, પરંતુ ધોનીના આગામી સિઝનમાં રમવા અંગે અંતિમ નિર્ણય તો તે પોતે જ લેશે.

ધોનીના નિવૃત્તિના સવાલ પર કાશી વિશ્વનાથને કહ્યું, ‘તમે બધા જાણો છો કે ધોની તેના તમામ નિર્ણયો લે છે અને તે યોગ્ય સમયે જ તેની જાહેરાત કરે છે. 

પરંતુ અમને આશા છે કે ધોની આગામી સિઝનમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. આ મારી અને ચાહકોની આશા છે.