ભારતમાં આ લોકો નહીં આપી શકે વોટ

મત આપવો આપણો બંધારણીય અધિકાર છે.

અમુક લોકો એવા છે કે, વોટિંગ લિસ્ટમાં નામ હોવા છતાં મત નથી આપી શકતાં.

માનસિક રૂપે બીમાર વ્યક્તિ મત નહીં આપી શકે.

કોઈ વ્યક્તિને જો કોર્ટ તરફથી માનસિક અસ્થર ઘોષિત કરવામાં આવી હોય તો તે મત નહીં આપી શકે.

વિદેશમાં રહેતા લોકો મત નહીં આપી શકે.

જે લોકોએ વિદેશની નાગરિકતા મેળવી લીધી છે તે લોકો મત નહીં આપી શકે.

જેલના કેદી પણ મત નહીં આપી શકે.  જોકે, જ્યારે કેદી પેરોલ પર બહાર હોય ત્યારે તે મત આપી શકે છે.

જેનું નામ વોટિંગ લિસ્ટમાં નથી તે લોકો પણ મત નહીં આપી શકે.