રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથેના ઝઘડા વિશે કહી આ મોટી વાત  

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલીવુડના જાણીતા કપલ માંથી એક છે. તેઓ અવારનવાર ચર્ચમાં રહે છે. તેઓની સુપર ક્યૂટ પુત્રી રાહા પણ ફેન્સનું ધ્યાન ખેંચે છે.  

અન્ય કપલની જેમ તેઓ પણ અસંમતિ અને ઝઘડા સહિત લગ્ન જીવનમાં ઘણા ઉત્તર ચઢાવ અનુભવે છે. તાજતેરમાં રણબીરે જાહેર કર્યું કે તે આલિયા સાથેના ઝઘડાઓને કેવી રીતે ઉકેલે છે.  

વર્ષ 2023 માં રણબીર કપૂર કરીના કપૂરના તેના ચેટ શો વોટ વુમન વોન્ટમાં પ્રથમ મહેમાન હતા ત્યારે અભિનેતાએ તેના અંગત જીવન અને પતિ, પિતા અને પુત્ર તરીકેની તેની ભૂમિકાઓ વિશે વાત કરી હતી.  

કપૂરે શેર કર્યું કે શું તે તેની પત્ની આલિયા ભટ્ટ સાથેનો ઝઘડા ન ઉકેલાય ત્યાં સુધી જાગતા રહે છે અને દલીલ કરે છે. 

રણબીરે કહ્યું કે આલિયાને 'સોરી' કહેતી વખતે તેને કોઈ અહંકાર નથી. તેણે કહ્યું કે "હું એવો વ્યક્તિ છું કે જેને કોઈ અહંકાર નથી, કોઈ સ્વ-સન્માન નથી, કારણ કે હું સાચો કે ખોટો હોવા છતાં માફી માગીને આનંદ અનુભવું છું.'  

રણબીર કપૂર અને આલિયા અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવમાં સાથે જોવા મળ્યા હતા. આ જોડી ટૂંક સમયમાં જ અન્ય એક મોટા પ્રોજેક્ટ લવ એન્ડ વોર પર ફરી જોડાશે જેનું નિર્દેશન માવેરિક ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા કરવામાં આવશે.