ધાણાના પાંદડામાં આયર્ન, ફાઈબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.  

આ સિવાય તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.  

ધાણાના પાનમાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે જે ત્વચા માટે ફાયદાકારક છે.  

ખાલી પેટે તેનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત વાળ પણ સ્વસ્થ બને છે.  

ધાણાના પાનમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીરને ડિટોક્સિફાય કરવામાં અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ મળે છે.  

ધાણાના પાનમાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.  

ધાણાના પાનમાં ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધારવામાં અને વજન ઘટાડવામાં મદદ મળે છે.