કિર્ગિસ્તાનમાં સૌથી વધારે સુરતના વિદ્યાર્થીઓ ફસાયા, ગુજરાત સરકારે પરત લાવવા શરૂ કર્યો પ્રયાસ

કિર્ગીસ્તાનમાંથી ઘણા દિવસોથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.

ત્યારે અનેક ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. 

ગુજરાત સહિત ભારતના 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. 

 જણાવી દઈએ કે, તેઓ મેડિકલના અભ્યાસ માટે કિર્ગીસ્તાન ગયા હતા, ત્યારે બીજી બાજું વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ તકે ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેને લઈને તમામ વિદ્યાર્થીઓનો વહેલી તકે સંપર્ક થઈ શકે.