મખાનામાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.  

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક છે.  

જો તમારું પેટ નબળું છે તો મખાનાનું સેવન ન કરો. તેમાં રહેલ ઉચ્ચ ફાઈબર સરળતાથી પચવામાં મુશ્કેલ છે.  

તેનું સેવન કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.  

જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો મખાનાનું સેવન ન કરો. શરીરમાં કેલ્શિયમનું સ્તર વધવાથી કિડનીમાં પથરીની સમસ્યા થાય છે.  

જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે મખાનાનું સેવન ન કરવું જોઈએ.