જો આ બીમારીઓ હોય તો ક્યારેય પપૈયાનું સેવન ન કરો, જાણી લો
પપૈયા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે.
ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે. કેટલાક લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ. તેનાથી તેમની બીમારી વધી શકે છે.
કિડનીની બિમારી હોય અથવા કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે.