ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે, પરંતુ તે ઘણા લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે.  

ઘીમાં ઉચ્ચ કેલરી અને ચરબી હોય છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી વજન વધી શકે છે.  

ઘીમાં સંતૃપ્ત ચરબી હોય છે, જેનું વધુ પડતું સેવન હૃદય માટે નુકસાનકારક હોઈ શકે છે.  

જો તમને ઘી ખાધા પછી અપચો, પેટમાં દુખાવો કે એસિડિટી જેવી સમસ્યા હોય તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.  

કેટલાક લોકોને ડેરી ઉત્પાદનોની એલર્જી હોય છે. ઘી ખાવાથી ત્વચા પર ખંજવાળ અને સોજા જેવી સમસ્યા થઈ શકે છે.  

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભૂલથી પણ ઘીનું સેવન ન કરો. આ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પર નકારાત્મક અસર કરી શકે છે.  

ઘીમાં ચરબી વધારે હોય છે તે લીવર પર બોજ લાવી શકે છે. ઘી ખાવાથી લીવર પર અસર થાય છે.