સામાન્ય રીતે લોકો ત્રિફળાને કબજીયાત નિવારકના રૂપમાં જ જાણે છે
આ ઉપરાંત ત્રિફળના સેવન કરવાના અનેક ફાયદા છે
આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણને શરીર માટે ખૂબ ગુણકારી માનવામાં આવ્યું છે
શારીરિક રીતે નબળા વ્યક્તિ માટે ત્રિફળાનું સેવન રામબાણ સાબિત થાય છે
નબળાઈને ઓછી કરવા માટે ત્રિફળાનું આંબળા, ઘી અને ખાંડ મેળવીને સેવન કરવું જોઈએ
ત્રિફળા ચૂર્ણનું સેવન માનવીની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે
ત્રિફળાનું સેવન કરવાથી હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઈ બીપીમાં આરામ મળે છે