પરંતુ, શું તમે જાણો છો કે પપૈયું યોગ્ય સમયે ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે? સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, સવારે ખાલી પેટે પપૈયું ખાવું શરીર માટે અમૃત સમાન છે.

સવારે ખાલી પેટે પપૈયું ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીર ડિટોક્સ થાય છે.

પપૈયામાં રહેલા ફાઈબરના કારણે તે કબજિયાતની સમસ્યામાં ખૂબ જ રાહત આપે છે 

સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સાફ રહે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સવારે ખાલી પેટે પપૈયું ખાવું ફાયદાકારક છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

સવારે પપૈયું ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં પણ મદદ મળે છે, જેનાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

સવારે ખાલી પેટે પપૈયું ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.