Vadodara : એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વડોદરાના બાપોદમાં વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા.
જેના કારણે બોલાચાલી થઇ જતાં મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લામાં કેટલાક અસામાજિક તત્ત્વો મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો થયા હતા. મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત અવસ્થામાં મહિલા અને નાગરિકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
આ પણ વાંચો..
- ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે Anupam Kher ભાવુક થયા, વિદેશ જતા પહેલા શેર કર્યો વીડિયો, કહ્યું- ‘મારું હૃદય થોડું ભારે છે…’
- લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પ્રેસ કોન્ફરન્સમાં Virat Kohli નો ઉલ્લેખ કર્યો, તેમના વિશે મોટી વાત કહી
- PM modi: ‘ભારત પરમાણુ બ્લેકમેલ સહન નહીં કરે, પોતાની શરતો પર બદલો લેવા તૈયાર છે’ – પીએમ મોદી
- India–Pakistan સંઘર્ષ: કામચલાઉ ધોરણે બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટ ફરી ખુલ્યા, મુસાફરોના વિમાનો ઉડાન ભરી શકશે
- Valsad : ભીલાડ પૂર્વ બજારે કમોસમી વરસાદના પગલે પાણી ભરાઈ જતા ગંદકીનો માહોલ