election commission of india: ચૂંટણી પંચે રાજ્યસભાની 12 ખાલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે બુધવારે કહ્યું કે નવ રાજ્યોમાંથી રાજ્યસભાની 12 ખાલી બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત વર્તમાન સભ્યો લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજ્યસભાની દસ બેઠકો ખાલી પડી હતી.

પંચે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશન 14 ઓગસ્ટે જારી કરવામાં આવશે અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. દરેક રાજ્યસભા બેઠક માટે 3 સપ્ટેમ્બરે અલગ-અલગ ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે.