Lucknow: ઉત્તરપ્રદેશના લખનઉમાં ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેના કારણે ફેક્ટરી આગની જપેટમાં આવી ગઈ અને અંદાજે છ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય છ લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. પોલીસના જણાવ્યાનુસાર, રવિવારે ઉત્તર પ્રદેશના લખનૌના ગુડામ્બા વિસ્તારમાં એક ઘરમાંથી ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટને કારણે છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં કાટમાળ નીચે ઓછામાં ઓછા બે લોકો ફસાયા હતા. બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે અને ફસાયેલા લોકોને બચાવવા માટે હાલમાં કામગીરી ચાલી રહી છે.

સહાયક પોલીસ કમિશનર (એસીપી) અનિંદ્ય વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, “વિસ્ફોટ એ ઘરમાં થયો હતો જ્યાંથી ફટાકડાની ફેક્ટરી કાર્યરત હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે.”

“ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ સહિતની બચાવ ટીમો ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે,” એસીપીએ ઉમેર્યું.

મુખ્યમંત્રી યોગીએ ઘટનાની નોંધ લીધી છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે તાત્કાલિક સ્થળ પર પહોંચવાનો પણ નિર્દેશ આપ્યો છે.

તેમણે અધિકારીઓને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અને યોગ્ય સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે, સાથે જ તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રને વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચવા અને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. વિસ્ફોટના કારણની તપાસ પણ અપેક્ષિત છે.

આ પણ વાંચો