Gautam Adani: અદાણી એન્ટરપ્રાઇઝે શુક્રવારે તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપના પ્રમોટર્સ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓએ ઓપન માર્કેટ દ્વારા અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર ખરીદ્યા છે.

પ્રમોટર જૂથનો હિસ્સો 2.02% વધીને 73.95% થયો

આ એક્વિઝિશન પહેલા, કંપનીમાં વોટિંગ રાઇટ્સ ધરાવતા કુલ વોટિંગ કેપિટલ અથવા શેર્સમાં પ્રમોટર ગ્રૂપનો હિસ્સો 71.95% હતો, જે ઓપન માર્કેટમાં ખરીદી પછી 2.02% વધીને 73.95% થયો છે. 4 જૂને અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 25%નો ઘટાડો થયો હતો, જ્યારે છેલ્લા કેટલાક સત્રોમાં તેમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

આ વર્ષે અત્યાર સુધીમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 12 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગ્રૂપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, મે 2024 સુધીમાં કંપનીઓ આ ઘટાડામાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ હતી.

કંપનીનો શેર 1.37 ટકા વધીને રૂ.3,269 પર બંધ થયો

કંપનીનો શેર આજે 1.37 ટકાના ઉછાળા સાથે રૂ.3,269 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ પણ 3.72 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 7 ટકાથી વધુનો વધારો થયો છે. તે જ સમયે, છેલ્લા છ મહિનામાં તેના શેરમાં 9 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેણે રોકાણકારોને 33.04 ટકા વળતર આપ્યું છે.