Sports Update: મુંબઈમાં 28 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાશે. આ બેઠક માત્ર સંસ્થાની વાર્ષિક સમીક્ષા પૂરતી નહીં, પરંતુ અધ્યક્ષ પદની ચુંટણીને કારણે ખાસ મહત્વ ધરાવે છે. વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ સંસ્થા BCCIનું નેતૃત્વ કયા હાથોમાં જશે તેની ચર્ચા હવે તેજ બની ગઈ છે.
અધ્યક્ષ પદ માટે ગાંગુલી, હરભજન, રઘુરામ ભટ્ટ અને જયદેવ શાહ રેસમાં
ચૂંટણી અધિકારી એ.કે. જોતિએ 19 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. તેમાં ચાર ભૂતપૂર્વ ક્રિકેટર-પ્રશાસકો મુખ્ય દાવેદાર તરીકે સામે આવ્યા છે.
- સૌરવ ગાંગુલી (બંગાળ ક્રિકેટ એસોસિયેશન)
- હરભજન સિંહ (પંજાબ ક્રિકેટ એસોસિયેશન)
- રઘુરામ ભટ્ટ (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયેશન)
- જયદેવ શાહ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન)
આ ચારેય નામો ક્રિકેટ જગતમાં જ નહીં પરંતુ વહીવટી ક્ષેત્રે પણ નોંધપાત્ર અનુભવ ધરાવે છે. ખાસ કરીને ગાંગુલીનું નામ મોખરે માનવામાં આવી રહ્યું છે.
કિરણ મોરે નવો વળાંક લાવી શકે
અધ્યક્ષ પદની રેસમાં ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. તેઓ હાલમાં બરોડા ક્રિકેટ એસોસિયેશનના સચિવ છે, જોકે મતદાર યાદીમાં તેમના રાજ્યનો પ્રતિનિધિ તરીકે ઉલ્લેખ નથી. તેમ છતાં સૂત્રો અનુસાર, મોરેનું નામાંકન થવાની સંભાવના હજી યથાવત છે.
મોરે ક્રિકેટ અને વહીવટ બંનેમાં કુશળતા ધરાવે છે. તેઓ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા હતા અને હાલમાં વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ વુમન્સ ટીમના જનરલ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે.
સચિન તેંડુલકરે અટકળોને નકારી
છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયા રિપોર્ટ્સમાં ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ અધ્યક્ષ પદ માટે ચર્ચામાં આવ્યું હતું. પરંતુ સચિને આ તમામ અટકળોને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈ પણ રીતે BCCI અધ્યક્ષ પદ માટે દાવેદારી નથી રાખતા.
ચૂંટણીની સમયરેખા
ચૂંટણી પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી નામાંકન સાથે શરૂ થશે. 23 સપ્ટેમ્બરે નામાંકનોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ યાદી જાહેર થશે. AGM દરમ્યાન 28 સપ્ટેમ્બરે મતદાન યોજાશે.
મહત્વપૂર્ણ નિર્ણયો પર નજર
AGM દરમિયાન માત્ર અધ્યક્ષ પદની ચુંટણી જ નહીં, પરંતુ નવા રાષ્ટ્રીય પસંદગીકારોની જાહેરાત થવાની પણ સંભાવના છે. પરિણામે આ બેઠક ભારતીય ક્રિકેટ પ્રશાસન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાની છે.
આ પણ વાંચો
- China: શી જિનપિંગે સૈન્યને રાજકીય વફાદારીનો પાઠ કેમ શીખવ્યો? ઘણા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ફસાયેલા હતા
- ઈરાને 221 મિસાઈલ અને 1,305 ડ્રોન હુમલા કર્યા; UAE એ જાહેર કર્યું કે કેટલા તોડી પાડવામાં આવ્યા
- Nepal election: ભારે ઉથલપાથલ: બાલેન્દ્ર શાહે ભૂતપૂર્વ વડા પ્રધાન ઓલીને ૫૦,૦૦૦ મતોથી હરાવ્યા
- Train: ભારત-ન્યૂઝીલેન્ડ મેચ જોવા માટે અમદાવાદ જવા માંગો છો? રેલ્વેએ રાતોરાત ખાસ ટ્રેન ચલાવી છે; અહીં સમય તપાસો
- Iran: ઈરાન હવે મધ્ય પૂર્વમાં હારી ગયું છે, આજે મોટો હુમલો શક્ય છે… ટ્રમ્પે બીજી ધમકી આપી





