RCB vs PBKS IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ઘરઆંગણે જીત મેળવવો તે મોટો પડકાર બન્યો છે. શુક્રવારે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. RCB આ મેચ જીતવી હશે તો પંજાબના સ્પિનરોથી ચેતીને રહેવુ પડશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચાર વિકેટ લઈને ફોર્મમાં પાછા ફરેલા ચહલનો સામનો કરવો કોઈપણ બેટ્સમેન માટે સરળ નથી, જ્યારે મેક્સવેલને તેના ખરાબ બેટિંગ પ્રદર્શન છતાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની ખાતરી છે.

આરસીબી પાસે કૃણાલ પંડ્યા અને સુયશ શર્માના રૂપમાં સારા સ્પિનરો છે અને ટીમ તેમની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. પંજાબની ટીમ પાસે અર્શદીપ સિંહ અને માર્કો જેનસેનના રૂપમાં સારા ફાસ્ટ બોલરો છે, જોકે તેઓ RCBના જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેટલા અનુભવી નથી.
પહેલી વાર શ્રેયસ અને પાટીદાર સામસામે આવશે
કેપ્ટન રજત પાટીદાર અને શ્રેયસ ઐયરમાં બહુ ઓછી સામ્યતા છે. આ ટુર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે ઉત્તમ રેકોર્ડ ધરાવતા ઐયરે IPL વિજેતા કેપ્ટન તરીકે પોતાની ઓળખ સાબિત કરી છે.
બીજી બાજુ, પાટીદાર આઈપીએલમાં પહેલી વાર કેપ્ટન બન્યો છે, પરંતુ આ તફાવત ત્યાં જ સમાપ્ત થાય છે કારણ કે આ બંને ખેલાડીઓ પોતાનું શાંત વલણ જાળવી રહ્યા છે અને ખૂબ જ કાર્યક્ષમતા સાથે પોતાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ સ્પિન બોલિંગ સામે સારા બેટ્સમેન માનવામાં આવે છે અને તેથી બેટિંગમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
કોલકાતા સામે ઓછા સ્કોરવાળી મેચમાં વિજયથી પંજાબને ઉત્સાહ મળ્યો હોત, પરંતુ તેમણે આરસીબીથી સાવધ રહેવું પડશે, જેમની બેટિંગ અને બોલિંગમાં ઘણી ઊંડાઈ છે અને તેમને હરાવવું કોઈપણ ટીમ માટે સરળ કાર્ય નથી.
બંને ટીમોની પ્લેઈંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વિષાક.
આ પણ વાંચો..
- Junagadhમાં સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે બે વ્યક્તિના મોત
- 250 કરોડના ખર્ચે ભગવાન જગન્નાથના ભવ્ય મંદિરનું નિર્માણ, Mamata Banerjee કરશે ઉદ્ઘાટન..
- Gujaratના શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ઘટના : Worldgrad અને SNV ઈન્ટરનેશનલ સ્કૂલ વચ્ચે મહત્વનો કરાર
- ફક્ત Aam Admi Party જ ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને છોડાવી શકે તેમ છે: Isudan Gadhvi
- Ahmedabad: મૃત્યુ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીમાં જવાની નથી જરૂર, સ્મશાનગૃહમાં લગાવવામાં આવશે QR કોડ