Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Rafah border: સોમવારે રફાહ બોર્ડર ફરી ખુલી, ગાઝા પરત ફરતા પેલેસ્ટિનિયનો માટે મોટી રાહત
- Nepalમાં એક નવી પેઢી રાજકારણમાં પ્રવેશ કરશે, ઝેન જી જૂથ એક રાજકીય પક્ષ બનાવશે; આ મહત્વપૂર્ણ શરતો પણ નક્કી
- Putin-trump: પુતિન-ટ્રમ્પ ફ્રેન્ડશીપ ટનલ શું છે? રશિયા તેને ડ્રીમ પ્રોજેક્ટ કેમ કહી રહ્યું છે?
- Pakistan: પંજાબ પ્રાંતમાં 5,500 થી વધુ TLP સભ્યોની ધરપકડ, હિંસક અથડામણો બાદ કાર્યવાહી
- Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો દાવો, પ્રત્યાર્પણ કેસમાં આગામી સુનાવણીમાં સનસનાટીભર્યા ખુલાસા થશે