Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Ahmedabadમાં જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે હોસ્ટેલ અંગે લેવામાં આવ્યો એક મોટો નિર્ણય; ટાટા ગ્રુપે પણ કરી મદદ
- કડદા કાંડ મુદ્દે સરકારને ખબર નથી કે જાણતા હોવા છતાં કંઈ કરતી નથી ? : Gopal Italia
- Horoscope: 19માર્ચે મેષથી મીન રાશિ માટે કેવો રહેશે દિવસ, જાણો આજનું રાશિફળ
- putin: રશિયાએ ઈરાનના સુરક્ષા વડા લારીજાનીના મૃત્યુને ‘હત્યા’ ગણાવ્યું; પશ્ચિમ એશિયામાં કટોકટી વધુ ઘેરી બની
- iran: પશ્ચિમ એશિયા કટોકટી: ‘હત્યારાઓને ટૂંક સમયમાં કિંમત ચૂકવવી પડશે’—લારીજાનીના મૃત્યુ બાદ ઈરાનના મોજતબાએ ચેતવણી આપી





