Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Horoscope: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, 60 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં, આર્થિક ગુના શાખા કાર્યવાહીમાં
- Imran khanની પાર્ટીએ SOG ને રિપોર્ટ જાહેર કરવા અપીલ કરી, કહ્યું – ચૂંટણીમાં ગોટાળાના સંકેતો
- Charlie Kirk: ગુના સ્થળ નજીક મળેલા ડીએનએ પુરાવા શંકાસ્પદ વ્યક્તિ સાથે મેળ ખાય છે’, એફબીઆઈ ડિરેક્ટરનો દાવો
- Asia cup: ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ ફરી એકબીજા સામે આવશે! અંધાધૂંધી વચ્ચે એક જ મેદાન પર જોવા મળશે