Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Iran: ઈરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાની નબળાઈ છતી: ટ્રમ્પના દેશની હવાઈ તાકાત કેમ ઓછી પડી?
- Tata: નોએલ ટાટાનો વિરોધ અને એર ઈન્ડિયાની ખોટ! શું ચંદ્રશેખરન આ પડકારોનો સામનો કરી શકશે?
- Pakistan: ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટમાં 15 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
- Rain in Gujarat: ગુજરાતના હવામાનમાં પલટો, મોરબીના માળિયામાં મહત્તમ 5 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
- government colleges: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દીપપ્રાગટ્ય સમારોહમાં સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત બેસવા અંગે રોષ




