Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- IPL 2026 માં કેટલી મેચ રમાશે અને સંપૂર્ણ સમયપત્રક ક્યારે જાહેર થશે? એક મોટી અપડેટ સામે આવી છે
- Netanyahu ૪૮ કલાકમાં ચાર મોટા હુમલા, દુનિયા ઈરાન સામે એક થઈ ગઈ…નેતન્યાહુની અપીલ
- Japan: જો યુદ્ધવિરામ થાય, તો જાપાન હોર્મુઝ સ્ટ્રેટમાં સૈનિકો મોકલી શકે છે અને આ ભૂમિકા ભજવી શકે છે
- F-35 પછી, ઈરાને યુએસ F-15 ફાઇટર જેટને નિશાન બનાવ્યું; વિડિઓ રજૂ કર્યો
- Dhurandhar 2: તે ફક્ત 60% હતું…’ આદિત્ય ધર ફિલ્મમાં ભારે રક્તપાત ઇચ્છતા હતા, એક્શન ડિરેક્ટરે ‘ધુરંધર’નું રહસ્ય ખોલ્યું





