Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- રાષ્ટ્રપતિ ટ્રમ્પે Pm Modi સાથે ફોન પર વાત કરી, રશિયન તેલ ખરીદવા પર થઇ ડીલ
- Gujaratમાં આગામી થોડા દિવસોમાં હળવો વરસાદ થવાની સંભાવના, હવામાન વિભાગે આપી અપડેટ
- Gujarat governmentએ 9 હાઇ-સ્પીડ કોરિડોરને આપી મંજૂરી , મુખ્યમંત્રીએ 7737 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ કર્યા પાસ
- દિવાળી પર લોહીથી રંગાયું ઘર! Ahmedabadમાં દારૂડિયા અને બેરોજગાર પુત્રથી કંટાળીને પિતાએ છરીના ઘા મારીને કરી હત્યા
- ગૃહમંત્રી અમિત શાહ Ahmedabadમાં ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા પાઠવશે, CM પટેલ સાથે કાર્યક્રમ