Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Sikh: સરહદ પારથી ભારતીય શીખ યાત્રાળુઓને પાકિસ્તાન જવાની મંજૂરી આપવાની માંગણી
- Russia Ukraine war: યુક્રેનિયન સેના શરણાગતિ નજીક… પુતિન પોતે રશિયન સેનાને નિર્દેશ આપી રહ્યા છે
- Jignesh mevani: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કોડરામ દૂધ સંઘના સીલિંગ ફેનને કારણે ₹11 લાખના દૂધના નુકસાનના દાવાની મજાક ઉડાવી
- Trump: ૪૧ તોપોની સલામી, ૧૨૦ ઘોડાઓ અને ૧,૩૦૦ સૈનિકો: બ્રિટનમાં ટ્રમ્પનું શાહી સ્વાગત
- Ahmedabad plane crash: પાઇલટ સુમિત સભરવાલના પિતાએ ફરી તપાસની માંગ કરી, કહ્યું કે પુત્રની છબી ખરડાઈ છે