Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Indigo: સરકારે ઇન્ડિગોના સીઈઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો
- Shashi Tharoor: હું વિવાદમાં પડવા માંગતો નથી,” થરૂરે રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ પર કહ્યું, “આમંત્રણ નકારવું યોગ્ય નહોતું.”
- Pakistan: ભારત વિરુદ્ધ નવું ષડયંત્ર રચી રહ્યું છે? ધાર્મિક મેળાવડામાં મહિલા જેહાદીઓ દેખાય છે, સુરક્ષા એજન્સીઓ સતર્ક
- South Africa: કુલદીપ યાદવ અને પ્રસિદ્ધના પ્રભાવશાળી પ્રદર્શન પછી, યશસ્વી જયસ્વાલ ચમક્યા, ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી લીધી
- Pm Modi: આઠ ટકા વૃદ્ધિ નવી ગતિનો સંકેત આપે છે’; પીએમ મોદી કહે છે કે ભારત વિશ્વમાં ઉચ્ચ વૃદ્ધિ અને ઓછી ફુગાવા માટે એક મોડેલ બન્યું





