લોકસભા ચૂંટણીના પરિણામો બહાર આવ્યા છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જ્યારે, I.N.D.I. ગઠબંધનને 243 બેઠકો મળી છે. આ વખતે ભાજપ એકલા હાથે પૂર્ણ બહુમતીના આંકડાને સ્પર્શવામાં સફળ રહી નથી. જો કે ટીડીપી અને જેડીયુ જેવી પાર્ટીઓના કારણે મોદી સરકાર ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ વધી છે. મળતી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર દિલ્હી જવા રવાના થઈ ગયા છે. સાથે જ શરદ પવાર અને સુપ્રિયા સુલે પણ દિલ્હી આવી રહ્યા છે. આજે NDA અને INDI. મહાગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાનો વારો છે. એનડીએ પાસે 293 સીટો છે. ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. એનડીએની બેઠકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. જ્યારે, I.N.D.I. ગઠબંધનની બેઠકમાં વિપક્ષી નેતાઓ આગળની રણનીતિ બનાવશે.

પીએમ મોદીએ રાજીનામું આપ્યું

 નરેન્દ્ર મોદીએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજીનામું સ્વીકાર્યું. હવે નવી સરકાર બનશે.

નરેન્દ્ર મોદી 7 જૂને પીએમ પદના શપથ લઈ શકે છે

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એવી સંભાવના છે કે 8મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે.

7 જૂને એનડીએની બેઠકમાં તેમને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પરિણામોમાં ભાજપે 240 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે.