ચૂંટણી કાર્ડને Aadhar Card સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે મતદાર યાદીમાં રહેલી ગેરરીતિઓને દૂર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રક્રિયા સ્વૈચ્છિક છે, એટલે કે મતદારો પોતાની ઈચ્છા મુજબ તેમના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે.

જો કોઈ મતદાર પોતાનું Aadhar Card લિંક કરવા માંગતા ન હોય, તો તેમને તેનું કારણ જણાવવું જરૂરી છે. આ લિંકિંગ પ્રક્રિયાને કારણે, એક જ વ્યક્તિના અનેક ચૂંટણી કાર્ડ હોવાની શક્યતા દૂર થશે અને મતદાર યાદી વધુ ચોક્કસ બનશે.

ચૂંટણી પંચે આ માટે ખાસ ફોર્મ 6B બહાર પાડ્યું છે, જેનો ઉપયોગ કરીને મતદારો પોતાના ચૂંટણી કાર્ડને Aadhar Card સાથે લિંક કરાવી શકે છે. આ લિંકિંગ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

ઓનલાઈન પ્રક્રિયા માટે, મતદારો નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ (NVSP) અથવા વોટર હેલ્પલાઈન એપનો ઉપયોગ કરી શકે છે. ઓફલાઈન પ્રક્રિયા માટે, મતદારો નજીકના મતદાર નોંધણી અધિકારીની ઓફિસ અથવા મતદાર સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.  આ પ્રક્રિયા મતદાર યાદીને સ્વચ્છ અને પારદર્શક બનાવવામાં મદદરૂપ થશે.

આ સ્થળોએ લિંક કરવાની પ્રક્રિયા થઈ શકશે

  •  ઓનલાઈન:

 તમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકો છો.

  •  મતદાર નોંધણી કેન્દ્ર (VRC):

 તમારા નજીકના મતદાર નોંધણી કેન્દ્ર પર જઈને તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

  •  સામાન્ય સેવા કેન્દ્રો (CSC):

  સામાન્ય સેવા કેન્દ્રો પર પણ આ સુવિધા ઉપલબ્ધ છે.

  •  આધાર કેન્દ્ર:

 આધાર કેન્દ્ર પર પણ આ સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો..