ઉતરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 57 મજૂરો ફસાઈ ગયા હતા. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ હાલની માહિતી મુજબ 8 મજૂરોનું આ હિમસ્ખલનમાં મૃત્યુ થયુ છે. મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એક બરફનો પહાડ તૂટી પડતા આ દુર્ઘટના બની હતી.

ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની હતી. હિમસ્ખલનમાં માણાં ગામમાં એક બરફનો પહાડ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. આ હિમસ્ખલનમાં 57 મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી અત્યાર સુધી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ આ દુર્ઘટનામાં 8 મજૂરોના મૃત્યુ થયા છે. ઘટના બની તે સમયે પ્રશાસન અને BROની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ITBP અને ગઢવાલ સ્કાઉટની ટીમ રાહત-બચાવમાં કાર્યમાં જોડાઈ ગયુ હતુ. આ હિમસ્ખલન વખતે અત્રે સ્થળ પર અનેક મજૂરો રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત આ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન દુર્ઘટના બનતા ભાગદોડ મચી અને તેમાં અનેક મજૂરો બહાર નીકળી ગયો હતા. પરંતુ 57 મજૂરો ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે અને 8ના મોત થતા સેનાના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે.
મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ, ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરીના ત્રીજા દિવસે, એજન્સીઓએ ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો છે.
આ પણ વાંચો…
- ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-2’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા CM Bhupendra Patel
- ક્યાંય ખોટું થતું હશે તો અમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકો માટે અવાજ ઉઠાવીશું : Dharmesh Bhanderi
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Dhurandhar: ધુરંધર” ફિલ્મનો અસલી રહેમાન ડાકુ કોણ હતો, જેનો ડર કરાચીમાં છવાઈ ગયો હતો?
- શું ICC અને JioStar ના સંબંધો ચાલુ રહેશે? 2026 ના T20 વર્લ્ડ કપ પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી છે




