ઉતરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે 57 મજૂરો ફસાઈ ગયા હતા. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ હાલની માહિતી મુજબ 8 મજૂરોનું આ હિમસ્ખલનમાં મૃત્યુ થયુ છે. મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન એક બરફનો પહાડ તૂટી પડતા આ દુર્ઘટના બની હતી.

ઉતરાખંડના ચમોલીમાં એક મોટી દુર્ઘટના બની હતી. હિમસ્ખલનમાં માણાં ગામમાં એક બરફનો પહાડ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. આ હિમસ્ખલનમાં 57 મજૂરો દબાઈ ગયા હતા. જે પૈકી અત્યાર સુધી 46નો બચાવ કરી લેવાયો છે. પરંતુ આ દુર્ઘટનામાં 8 મજૂરોના મૃત્યુ થયા છે. ઘટના બની તે સમયે પ્રશાસન અને BROની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ITBP અને ગઢવાલ સ્કાઉટની ટીમ રાહત-બચાવમાં કાર્યમાં જોડાઈ ગયુ હતુ. આ હિમસ્ખલન વખતે અત્રે સ્થળ પર અનેક મજૂરો રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંતર્ગત આ મજૂરો કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન દુર્ઘટના બનતા ભાગદોડ મચી અને તેમાં અનેક મજૂરો બહાર નીકળી ગયો હતા. પરંતુ 57 મજૂરો ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી. જેમાંથી 46નો બચાવ કરી લેવાયો છે અને 8ના મોત થતા સેનાના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે.
મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ, ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. રાહત અને બચાવ કામગીરીના ત્રીજા દિવસે, એજન્સીઓએ ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો છે.
આ પણ વાંચો…
- Pm Modi: “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ” પર પીએમએ મુલાયમ સિંહ યાદવનો ઉલ્લેખ કેમ કર્યો? તેમણે 2027 માટેનું લક્ષ્ય નક્કી કર્યું
- Pakistan ના પરમાણુ શસ્ત્રો વિશ્વ માટે ખતરો છે, ત્યાં કોઈ લોકશાહી નથી… 24 વર્ષ પછી, પુતિન-બુશ વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ સામે આવી
- Thailand: થાઇલેન્ડે હિન્દુ દેવી-દેવતાની મૂર્તિના તોડફોડ અંગે સ્પષ્ટતા જારી કરી, કહ્યું કે તોડી પાડવામાં આવેલ માળખું ધાર્મિક સ્થળ નહોતું
- T20: ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ખેલાડીએ વર્લ્ડ કપ ટીમ પસંદ કરી, શુભમન ગિલ ફરી ચૂકી ગયો; ટીમ જુઓ
- Bangladesh: દીપુ દાસ પછી, બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી; ટોળાએ અમૃત મંડલને માર માર્યો




