Ajit Pawar: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP વડા અજિત પવારનું વિમાન ક્રેશ થયું છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અજિત પવારનું પણ મોત નીપજ્યું છે. પ્લેનમાં સવાર છ લોકોના મોત થયા છે. અજિત પવાર જાહેર સભાને સંબોધવા માટે બારામતી જઈ રહ્યા હતા. જ્યારે વિમાન બારામતીમાં ઉતરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો.

વિમાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું. અહેવાલો અનુસાર, તે અજિત પવારનું ખાનગી વિમાન હતું. જોકે, અજિત પવારની સ્થિતિ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.