જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીંના બસંતગઢ વિસ્તારમાં CRPF વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈનિકોના મોત થયા છે. આ અકસ્માતમાં ઘણા CRPF જવાનો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને બચાવીને બસંતગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંના કેટલાક સૈનિકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

સૈનિકો એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા

આ અકસ્માત સવારે લગભગ 10:30 વાગ્યે કડવા વિસ્તારમાં થયો હતો જ્યારે સૈનિકો બસંતગઢથી બંકર વાહનમાં એક ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. વાહન CRPFની 187 બટાલિયનનું હતું. વાહનમાં 23 સૈનિકો હતા. બે સૈનિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 16 અન્ય ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક સૈનિકનું મોત નીપજ્યું હતું.

ઉધમપુરના એડિશનલ એસપી સંદીપ ભટે જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

LG મનોજ સિન્હાએ શોક વ્યક્ત કર્યો

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “ઉધમપુર નજીક થયેલા અકસ્માતમાં CRPF જવાનોના મોતથી દુઃખ થયું છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની અનુકરણીય સેવાને અમે ક્યારેય ભૂલીશું નહીં. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. મેં વરિષ્ઠ અધિકારીઓને શક્ય તેટલી શ્રેષ્ઠ સંભાળ અને સહાય સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.”

આ પણ વાંચો