Jamnagar : પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.

સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે
તેમજ આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Pm Modi બાંગ્લાદેશ જશે નહીં; લોકસભા સ્પીકર હવે તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
- Congress: કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા… શાહે રાહુલને પડકાર ફેંકતા કહ્યું, “કોઈ પણ મંચ પર આવો.”
- Jai somnath: સંજય લીલા ભણસાલી અને કેતન મહેતાએ ‘જય સોમનાથ’ માટે સાથે મળીને કામ કર્યું છે; ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જાણો
- T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ અંગે શ્રીલંકાએ આપ્યું લેટેસ્ટ અપડેટ, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર!
- Surendranagar: રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી





