Gujarat : ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદીલીના માહોલમાં આવશ્યક સેવાઓ જો યુદ્ધ થાય તો પણ જળવાઇ રહે, તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં નાગરિકોની સલામતી અને તકેદારી માટે સર્વોત્તમ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
ગઇકાલે રાજયના મુખ્યમંત્રીએ આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક જળવાઇ રહે તે માટે હોટલાઇન, સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માઘ્યમોની ચકાસણી કરી લેવાની તાકિદ સાથે સરહદી ગામોમાં ઇવેકયુએશન પ્લાન કાર્યરત કરવા ઉપરાંત ખોરાક, પાણી અને અન્ય સંશાધનોની સાથે જો યુદ્ધ થાય તો રાતના ભાગમાં અંધારપટ રાખવાનો નિયમ છે, છતાં વીજ પૂરવઠો આવશ્યક સેવાનો ભાગ હોવાથી વ્યવસ્થા ખોરવાય નહીં તેની તકેદારી રાખવાની હોય છે.
પરંતુ પશ્ર્વિમ ગુજરાત વીજ કંપનીના જામનગર સર્કલનું નગરસીમ સબ ડિવિઝનનું તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું દેખાઇ રહ્યું છે. તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું દેખાઇ રહ્યું છે.
નગરસીમ સબ ડિવિઝન વિસ્તારમાં ઠેક-ઠેકાણે વીજપોલ અને ટ્રાન્સફોર્મર વેલાઓથી ઢંકાઇ ગયા છે. છેલ્લા એક વર્ષમાં આ સબ ડિવિઝનમાં કોઇ મેઇન્ટેનન્સની કામગીરી થઇ જ ન હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે રૂટિન કામગીરીમાં જ બેદરકાર રહેતું તંત્ર આપાતકાલિન સ્થિતિમાં શું કરી શકશે તેવા પ્રશ્નો સર્જાઇ રહ્યા છે.
આ પણ વાંચો..
- Gujarat: ચૂંટણી પહેલા મોદી, શાહ, રાહુલ અને સંજય સિંહ ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્ર પર સ્પોટલાઇટ
- Rajkot: પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસ, રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાનું કોર્ટમાં આત્મસમર્પણ
- Rajkot: ભાજપમાં આંતરિક વિખવાદ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક, ‘પાર્ટીના જ નેતાઓ બદનામ કરી રહ્યા છે’
- Ahmedabad: બગોદરા પોલીસે હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલમાં પાડ્યો દરોડો, કોંગ્રેસના કોર્પોરેટરના પતિ સહિત 12ની ધરપકડ
- Amreli: લાઠી તાલુકાના સપૂત વીર જવાન મેહુલ ભુવા શહીદ, સમગ્ર પંથકમાં શોકની લાગણી