Gujarat : ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદીલીના માહોલમાં આવશ્યક સેવાઓ જો યુદ્ધ થાય તો પણ જળવાઇ રહે, તે માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં નાગરિકોની સલામતી અને તકેદારી માટે સર્વોત્તમ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
ગઇકાલે રાજયના મુખ્યમંત્રીએ આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક જળવાઇ રહે તે માટે હોટલાઇન, સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માઘ્યમોની ચકાસણી કરી લેવાની તાકિદ સાથે સરહદી ગામોમાં ઇવેકયુએશન પ્લાન કાર્યરત કરવા ઉપરાંત ખોરાક, પાણી અને અન્ય સંશાધનોની સાથે જો યુદ્ધ થાય તો રાતના ભાગમાં અંધારપટ રાખવાનો નિયમ છે, છતાં વીજ પૂરવઠો આવશ્યક સેવાનો ભાગ હોવાથી વ્યવસ્થા ખોરવાય નહીં તેની તકેદારી રાખવાની હોય છે.
પરંતુ પશ્ર્વિમ ગુજરાત વીજ કંપનીના જામનગર સર્કલનું નગરસીમ સબ ડિવિઝનનું તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું દેખાઇ રહ્યું છે. તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું દેખાઇ રહ્યું છે.
નગરસીમ સબ ડિવિઝન વિસ્તારમાં ઠેક-ઠેકાણે વીજપોલ અને ટ્રાન્સફોર્મર વેલાઓથી ઢંકાઇ ગયા છે. છેલ્લા એક વર્ષમાં આ સબ ડિવિઝનમાં કોઇ મેઇન્ટેનન્સની કામગીરી થઇ જ ન હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે રૂટિન કામગીરીમાં જ બેદરકાર રહેતું તંત્ર આપાતકાલિન સ્થિતિમાં શું કરી શકશે તેવા પ્રશ્નો સર્જાઇ રહ્યા છે.
આ પણ વાંચો..
- MEA: ભારત ઈરાન અને ખાડી દેશો પર નજર રાખી રહ્યું છે: વિદેશ મંત્રાલયે કહ્યું, “બધા પક્ષોએ સંયમ રાખવો જોઈએ; વર્તમાન પડકાર કેટલો મોટો છે?”
- Pakistan: જીતવા છતાં પાકિસ્તાન હારી ગયું, સેમિફાઇનલની દોડ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું; શ્રીલંકાને 147 રન સુધી મર્યાદિત રાખવામાં નિષ્ફળ
- Lucknow: ઈરાન હુમલાથી હવાઈ ટ્રાફિક પર સીધી અસર પડી; દુબઈનું હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, અને લખનૌથી 17 ફ્લાઇટ્સ રદ
- Dubai ના પામ જુમેરાહ પર ઈરાનનો મિસાઈલ હુમલો, બુર્જ ખલીફા ખાલી કરાવાયા
- Sanjay kapoor ની હજારો કરોડની સંપત્તિ પર કૌટુંબિક ઝઘડો: દિલ્હી હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, વસિયતનામા 10 માર્ચે ખુલશે





