PM Modi બાદ વધુ એક દિગ્ગજે વનતારાની મુલાકાત લીધી છે. આ ખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરમાં વનતારાની મુલાકાત લીધી છે. જામનગરમાં ભારતમાં રિલાયન્સ દ્વારા સ્થાપિત વન્યજીવોનું વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર અને કૃત્રિમ નિવાસસ્થાન ‘વનતારા’ સ્થાપવામાં આવ્યુ છે.
PM Modiએ થોડા દિવસ પહેલા જ વનતારાની મુલાકાત લીધી હતી, હવે બાબા બાઘેશ્વરધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી વન તારાની મુલાકાત લેવા માટે આવ્યા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર મોડી રાત્રે પહોંચ્યા હતા, જ્યાં તેમના અનુયાયીઓ અને સનાતન ધર્મના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

રિલાયન્સ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ કાર દ્વારા વનતારા પહોંચ્યા હતા. તેમણે દિવસ દરમિયાન વન તારાની મુલાકાત લીધી હતી. વનતારા એ વિશ્વભરના ઘણા મહાનુભાવો અને ધર્મગુરુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રીલાયન્સના અનંત અંબાણી દ્વારા આ વનતારા કેન્દ્ર બનાવાયુ છે. મુલાકાતે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાના ખૂબ વખાણ કર્યા છે. આ સિવાય ધિરેન્દ્ર શાસ્ત્રીએ તેમના અનુયાયીઓને આશીર્વાદ પણ આપ્યા હતા. આ પહેલા PM Modi વનતારાની મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચો..
- Iran: સરકારે સ્વીકાર્યું છે કે હિંસામાં 3,000 થી વધુ લોકો માર્યા ગયા, માનવાધિકાર સંગઠનોના આંકડાઓ વિશે જાણો
- Russia: રશિયા-યુક્રેન સંઘર્ષથી તબાહ કિવ: માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શહેરનો 60% ભાગ અંધારામાં, લોકો પૂછી રહ્યા છે કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે?
- Ashwini Vaishnav: ભારતીય અર્થતંત્ર આગામી પાંચ વર્ષ સુધી મજબૂત ગતિએ વિકાસ પામતું રહેશે,” મંત્રી વૈષ્ણવે દાવોસમાં જણાવ્યું.
- Yuzi: ભૂલથી કંઈ થયું નહીં…” શું આરજે માહવાશે યુઝવેન્દ્ર ચહલને નિશાન બનાવ્યો? સોશિયલ મીડિયા પર અનફોલો કર્યો
- Trump: ટ્રમ્પે દાવોસમાં ફરી દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવ્યો, એક વર્ષમાં આઠ યુદ્ધો અટકાવ્યા





