PM Modi બાદ વધુ એક દિગ્ગજે વનતારાની મુલાકાત લીધી છે. આ ખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જામનગરમાં વનતારાની મુલાકાત લીધી છે. જામનગરમાં ભારતમાં રિલાયન્સ દ્વારા સ્થાપિત વન્યજીવોનું વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર અને કૃત્રિમ નિવાસસ્થાન ‘વનતારા’ સ્થાપવામાં આવ્યુ છે.
PM Modiએ થોડા દિવસ પહેલા જ વનતારાની મુલાકાત લીધી હતી, હવે બાબા બાઘેશ્વરધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી વન તારાની મુલાકાત લેવા માટે આવ્યા હતા. તેઓ જામનગર એરપોર્ટ પર મોડી રાત્રે પહોંચ્યા હતા, જ્યાં તેમના અનુયાયીઓ અને સનાતન ધર્મના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

રિલાયન્સ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ કાર દ્વારા વનતારા પહોંચ્યા હતા. તેમણે દિવસ દરમિયાન વન તારાની મુલાકાત લીધી હતી. વનતારા એ વિશ્વભરના ઘણા મહાનુભાવો અને ધર્મગુરુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
રીલાયન્સના અનંત અંબાણી દ્વારા આ વનતારા કેન્દ્ર બનાવાયુ છે. મુલાકાતે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાના ખૂબ વખાણ કર્યા છે. આ સિવાય ધિરેન્દ્ર શાસ્ત્રીએ તેમના અનુયાયીઓને આશીર્વાદ પણ આપ્યા હતા. આ પહેલા PM Modi વનતારાની મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચો..
- Ekta Kapoor: એકતા કપૂરે નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યા, જીતેન્દ્રની પુત્રી અલગ રીતે વાર્તાઓ કહેશે
- Elon musk: એલોન મસ્કનો યુ-ટર્ન… પહેલા ટ્રમ્પ પર આરોપ, હવે પોસ્ટ ડિલીટ કરી
- Pm Modi: પીએમ મોદીના આમંત્રણથી ગુસ્સે ભરાયેલા ખાલિસ્તાન સમર્થકો, કાર્ને પર નિશાન
- Maharashtra: મહારાષ્ટ્ર ચૂંટણી અંગે રાહુલ ગાંધીના મેચ ફિક્સિંગના દાવાઓનો ચૂંટણી પંચે જવાબ આપ્યો
- Gujarat: ૭ જૂન – વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ: ગુજરાત સરકારે ૧૯૦થી વધુ રેડ કરીને ૧૦.૫૦ કરોડની કિંમતનો જથ્થો કર્યો જપ્ત