ધારીના સુખપર ગામે અભ્યાસમાં મહેનત કરવા છતાં યાદ ન રહેતા નાસીપાસ બની કોલેજીયન યુવતીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. જ્યારે Jamnagarમાં ગળાફાંસો ખાઈ યુવાને તથા બેહ ગામે બીમારીથી કંટાળી યુવાને આપઘાત કર્યો હતો.

Jamnagarમાં ગળાફાંસો ખાઇ લેતાં યુવાનનું મોત, બેહ ગામે બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત

ધારી તાલુકાના સુખપર ગામે રહેતી અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સુહાનીબેન ભીમજીભાઈ સોંદરવાને અભ્યાસમાં મહેનત કરવા છતાં યાદ રહેતું ન હોય કંટાળી પોતાના ઘરે ઝેરી પાઉડર પી જતા સારવાર દરમ્યાન મોત થયું હતું.

જામનગરના બેડી ધરાનગર-૨માં | રહેતા અને છૂટક મજુરી કામ કરતા શબ્બીર કરીમભાઈ સંધાર નામના ૩૦ વર્ષના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય|| કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ખંભાળિયા તાલુકાના બેહ ગામે વેજાણંદભાઈ મકુવારા નામના ૪૦ વર્ષના યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક યુવાનને આજથી આશરે સાતેક વર્ષ પૂર્વે વેજાણંદભાઈને પેરાલીસીસનો હુમલો આવી હયો હોવાથી તેમનો હાથ તથા પગ ખોટા થઈ ગયા હતા ત્યારબાદ આજથી આશરે બે વર્ષ પૂર્વે તેમને હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આવી બીમારીથી કંટાળીને તેમને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.