આજે આમ આદમી પાર્ટી(AAP)ના કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડાએ ગામેગામ જનસંપર્ક કરીને પોતાના પ્રચાર અભિયાનને આગળ વધાર્યું. આજે AAP ઉમેદવાર જગદીશ ચાવડાએ અગોલ, પંથોડા, દેલ્લા, જેસલપુરા, ઝુલાસણ, વિનાયકપુરા, જમિયતપુરા, વેકરા, ખાવડ અને નગરાસણ ગામની મુલાકાત લીધી અને લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણી. આ દરમિયાન લોકોએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા સમક્ષ પોતાની વેદના ઠાલવતા કહ્યું કે અનેક ગામોમાં લોકો આજે પણ રેશનકાર્ડની સમસ્યાથી પરેશાન છે, વરસાદી પાણીના નિકાલ મુદ્દે પણ લોકો ખૂબ જ પરેશાન છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ કોઈ સમસ્યાઓનો નિકાલ થતો નથી, તેવી ફરિયાદ ગામના લોકોએ કરી હતી. ઘણા લોકોએ જણાવ્યું કે એક ગામમાં 500થી વધુ રેશનકાર્ડ બંધ થઈ ગયા છે અને લોકોને જે રાહતના પ્લોટ મળવાના હોય તેની રાહ જોઈને પણ લોકો થાકી ગયા છે. આવી સમસ્યાઓ સાંભળીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ તમામ લોકોને આશ્વાસન આપ્યું કે ચૂંટણી ખતમ થયા બાદ તમામ મુદ્દા ઉપર તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી(AAP) કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડાની સાથે સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ ગૌરી દેસાઈ, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ડૉ. રમેશભાઈ પટેલ, કેન્દ્રીય ઉત્તર ઝોન પ્રમુખ રાજેશભાઇ શર્મા, નોર્થ ઝોન પ્રમુખ બિપીનભાઈ ગામિતી, ગાંધીનગરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પ્રભાતસિંહ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ, દાહોદના લોકસભા કો-ઇન્ચાર્જ બાબુભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચૌહાણ, મહિલા વિંગના જિલ્લા પ્રમુખ સોનલબેન, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ શહેરના ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી, ગાંધીનગર શહેર પૂર્વ પ્રમુખ જીતુભાઈ ધારાવાડિયા, સંગઠન મંત્રી વિનોદભાઈ પટેલ, વિજાપુરના પ્રભારી ભાસ્કર પટેલ, અને પૂર્વ એજ્યુકેશન સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય સહીત અનેક પ્રદેશના પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ કડીના અલગ અલગ ગામોમાં એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે