Vadodara: સુરત ખાતે સગપણની ખરીદી કરવા ગયેલા પરિવારના ઘરના તાળા તોડી સોના ચાંદીના દાગીના ચોર લઈ ગયા હતા. જે અંગે પરિવારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોર ટોળકી સોના ચાંદીના દાગીના લઈ ગઈ

Vadodara: ભરૂચમાં રહેતો સૂરજ વિજયભાઈ | તિવારી હાલમાં તેના માતા – પિતા સાથે ખોડિયારનગર અર્થ આઈકોન સામે સાંઈદર્શન સોસાયટીમાં ભાડેથી રહે છે અને પારૂલ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. અંકલેશ્વરમાં રહેતા તેના ફોઈના દીકરાનું સગપણ હોવાથી સૂરજ અને તેનો પરિવાર અંકલેશ્વર ગયા હતા. ત્યાંથી તેઓ ખરીદી કરવા માટે સુરત ગયા હતા. સુરતથી તેઓ પરત આવ્યા ત્યારે મકાનની જાળીનો નકુચો તૂટેલો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના પાંચ તોલા ઉપરાંતના વજનના દાગીના તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧.૯૮ લાખના દાગીના લઈ ગઈ હતી.

વડોદરા શહેરમાં રોજ બરોજ ચોરીના કિસ્સા વધતા જાય છે. કેટલાક લોકો તો ચોરી થાય છે તો પણ ફરિયાદ નોંધાવતા નથી અને પોલીસ પણ માત્ર અરજી લઇ ગુનોઓ મીનિમાઇસ કરી રહ્યા છે.