Umargam : રેલવે ઓવરબ્રિજનાં પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને સોળસુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ ગટર બાંધકામમાં માત્ર બે-ત્રણ વ્યક્તિઓના દિશાનિર્દેશથી કામ ચાલતાં હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને ન જ યોગ્ય રીતે આયોજન કરાયું છે, જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દુકાનદારોનો આક્ષેપ છે કે, બાંધકામ દરમ્યાન તેમની દુકાનોની એન્ટ્રી અવરોધાય ગઈ છે, જેના કારણે તેમની રોજગાર પર સીધી અસર પડી રહી છે. ઘણા વેપારીઓએ તો આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.
મહત્વનું છે કે, આવા વિકાસકામો જનહિત માટે કરવામાં આવે છે, પરંતુ યોગ્ય દિશાનિર્દેશ અને સર્વસંમતિ વગરના નિર્ણયથી હાલ માથાભારે સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓની માંગ છે કે તાત્કાલિક રણનીતિ બદલી યોગ્ય પ્લાનિંગ સાથે કામ શરૂ કરાય અને દુકાનદારોના હિતોને ધ્યાનમાં લઈને આગળ વધી શકાય.
આ પણ વાંચો..
- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, 60 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં, આર્થિક ગુના શાખા કાર્યવાહીમાં
- Imran khanની પાર્ટીએ SOG ને રિપોર્ટ જાહેર કરવા અપીલ કરી, કહ્યું – ચૂંટણીમાં ગોટાળાના સંકેતો
- Charlie Kirk: ગુના સ્થળ નજીક મળેલા ડીએનએ પુરાવા શંકાસ્પદ વ્યક્તિ સાથે મેળ ખાય છે’, એફબીઆઈ ડિરેક્ટરનો દાવો
- Asia cup: ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ ફરી એકબીજા સામે આવશે! અંધાધૂંધી વચ્ચે એક જ મેદાન પર જોવા મળશે
- Russiaના ફાઇટર જેટ નાટો એરસ્પેસમાં ઘૂસી ગયા, બ્રિટને નારાજગી વ્યક્ત કરી; રશિયન રાજદૂતને સમન્સ પાઠવ્યા