સુરત, મંગળવાર અહિંસાનું સૂત્ર આપનાર અને ભારત દેશના આઝાદીના લડવૈયા એવા રાષ્ટ્રપિતા મહાત્મા Gandhijiની બે ઓક્ટોબર જન્મજયંતી છે ત્યારે સુરતમાં જ રહેતા અને જૂના ચલણી સિક્કાઓ અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે નો શોખ ધરાવનાર સિદીકભાઈ વડગામા પારો આજે પણ ગાંધીજીના હાથે લખાયેલા ત્રણ પત્રો છે. અહિંસાનો માર્ગ અપનાવીને Gandhijiએ દેશને આઝાદી અપાવી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજે પણ લોકો તેમને યાદ કરે છે.

બાર વર્ષ પહેલા એક વ્યક્તિ પાસેથી મળ્યા હતા : ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પત્રો પૈકી એક પરિવારને લખ્યો હતો

સુરતનાં મોરાભાગળ ખાતે રહેતા સિદીકભાઈ વડગામાંને જૂની વસ્તુઓ ચલણી સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ છે. આ સાથે જ ગાંધીજી તેમના આદર્શ હતાં તેથી ગાંધીજીને લગતી ઘણી બધી પુસ્તકો, Gandhijiના ફોટોગ્રાફસ તમામ વસ્તુઓ સંગ્રહ કરીને રાખી છે. આ વસ્તુઓ ભેગી કરતી વખતે તેમને એક વ્યક્તિ પાસેથી Gandhijiના હાથે લખાયેલા ત્રણ પત્રો મળ્યા હતા. જેમાંથી એક પત્ર તેમના પરિવારને ઉદેશીને લખવામાં આવેલ છે. આ પત્રોમાં એક ગુજરાતીમાં, એક હિન્દીમાં અને એક અંગ્રેજીમાં લખાયેલ છે.

જે ૧૯૪૯ ની સાલમાં લખાયેલા પત્રો છે. આ અંગે સિહીકભાઈએ કહ્યું કે હું જૂની વસ્તુઓ લેવા માટે ગુજરાત સહિત અને શહેરોમાં પણ કયી છું. તે સમયે મને ૧૨ વર્ષ પહેલા આ પત્રો એક ભાઈ પાસેથી મળ્યા હતા અને મને જૂની વસ્તુઓ નું સારું જ્ઞાન છે તેના પરથી અને સહી તેમની પરથી આ પત્રો ગાંધીજીએ જ લખ્યા હોવાથી તે મે સાચવી રાખ્યા છે. મારા માટે આ એક અમૂલ્ય વસ્તુ છે. આ સાથે જ દાંડીયાત્રા વખતના ફોટોગ્રાફ્સ અને મીઠાનો જે સત્યાગ્રહ કથી હતો તે ફોટોગ્રાકનું પણ કલેક્શન તેમની પાસે છે.